Site icon Gujarat SQUARE

Eco friendly Ganesha Murti: આ રીતે ઘરે તમે પણ બનાવી શકો પ્રદુષણ રહિત ગણેશજી ની મૂર્તિ

Eco friendly Ganesha Murti

Eco friendly Ganesha Murti

Eco friendly Ganesha Murti: દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. આ વખતે આ તહેવાર 7 સપ્ટેમ્બર, શનિવારના દિવસે આવી રહ્યો છે. ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન માનવર્સજિત ગણેશજીની મૂર્તિ થી પાણી અને જમીનનું બહુ પ્રદુષણ થાય છે. આ પ્રદુષણ ને રોકવા તમારે Eco Friendly માટીની મૂર્તિ લાવવી જોઈએ.

ગણેશ ચતુર્થીની ઉજવણીમાં પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા આપણે બધાએ મળીને પ્રયત્નો કરવા જોઈએ. આ વર્ષે, ગુજરાતમાં ઘણી જગ્યાએ ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ ઉપલબ્ધ છે. આવી મૂર્તિઓ ખરીદીને આપણે આપણું યોગદાન આપી શકીએ છીએ. અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમને સુંદર અને પર્યાવરણને અનુકૂળ ગણેશજીની મૂર્તિઓ સરળતાથી મળી રહેશે. અમારી સાથે જોડાઓ અને આ ઉત્સવને પર્યાવરણમિત્ર બનાવીએ.

પીઓપીની જગ્યાએ માટીની મૂર્તિઓ સ્થાપિત કરો

ગણેશ ચતુર્થીમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી એ ભક્તિનું પ્રતીક છે. પરંતુ પરંપરાગત પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની મૂર્તિઓ પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત કરે છે. આથી, લોકો હવે માટીની અથવા ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરવા તરફ વળ્યા છે.

માટી ઉપરાંત, ગણેશ મૂર્તિ બનાવવા માટે અનેક રસપ્રદ વિકલ્પો છે:

આ બધા વિકલ્પો પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર ગણેશજીની પૂજા કરવાની તક આપે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીમાં, આપણે બધા મળીને એક પર્યાવરણમિત્ર ગણેશ ઉત્સવ ઉજવીએ.

Exit mobile version