અમદાવાદ, તારીખ: ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ એક મોટી પોલીસ કાર્યવાહીમાં સફળતા મેળવી છે. પોલીસે ઓઢવ રીંગ રોડ વેપારી મહામંડળ પાસેના રોડ પરથી એક કારને અટકાવીને તપાસ કરતાં અંદાજે રૂ. 45 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં 29 કિલો 740 ગ્રામ ચાંદી, બે મોબાઇલ ફોન, રોકડ રકમ અને એક હાયુંડાઈ ક્રિયા સેલટોસ કારનો સમાવેશ થાય છે. આ કેસમાં પોલીસે બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે. ahmedabAD odhav 29 kg silver kia car
આરોપીઓ પર શંકા:
પોલીસના મુજબ, ઝડપાયેલા બંને આરોપીઓ માણેકચોક સ્થિત પાટીદાર જ્વેલર્સના માલિક કરણભાઈ અશ્વિનભાઈ પટેલ પાસેથી ચાંદીનો જથ્થો લઈને મધ્યપ્રદેશના રાણાપુર ખાતે આશિષભાઈ ગોવિંદલાલ સોનીને આપવા જઈ રહ્યા હતા. આરોપીઓએ કારમાં ડ્રાઈવર સીટની બાજુની સીટ નીચે એક ગુપ્ત ખાનું બનાવ્યું હતું, જેમાં ચાંદીનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે જ્યારે આરોપીઓની પૂછપરછ કરી, ત્યારે તેઓ ચાંદીના જથ્થાના બિલ અથવા કોઈ પુરાવા રજૂ કરી શક્યા ન હતા, જેના આધારે પોલીસને શંકા ગઈ કે આ ચાંદી ચોરી અથવા છેતરપિંડી દ્વારા મેળવવામાં આવી છે.
નાળિયેરનું પાણી પીવાથી થાય છે આટલા ફાયદા: જાણો ક્યારે અને કેવી રીતે નાળિયેર પાણી પીવું ફાયદાકારક છે.
ધરપકડ કરાયેલા આરોપીઓ:
- અબ્દુલ વહીદ ઉર્ફે ભુરૂ (ઉં.વ. 36, રહેવાસી: મધ્યપ્રદેશ)
- ભાવેશભાઈ ભૂપેન્દ્રભાઈ સોની (ઉં.વ. 47, રહેવાસી: મહેમદાવાદ, ખેડા)
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં હજુ વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપીઓની ચોકસાઈપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને ચાંદીના જથ્થાના સ્ત્રોત અને તેના ગંતવ્ય સંબંધી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ ચાલુ છે.