RBI 10 અને 500 રૂપિયાની નવી નોટો બહાર પાડશે, જાણો જૂની નોટો માન્ય રહેશે કે નહીં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ટૂંક સમયમાં 10 રૂપિયા અને 500 રૂપિયાની નવી નોટો બહાર પાડશે. અગાઉ 100 અને 200 રૂપિયાની નવી નોટોની જાહેરાત બાદ હવે ફરીથી બે અન્ય ચલણ નોટોની નવી આવૃતિ લાવવાની તૈયારી છે. RBI will issue new 10 and 500 rupee notes
જૂની નોટોનું શું થશે?
આ સમાચાર સામે આવતાની સાથે લોકોમાં સૌથી વધુ પ્રશ્ન એ ઊભો થયો કે જૂની નોટો ચાલુ રહેશે કે નહીં. RBIએ સ્પષ્ટતા કરી છે કે અગાઉથી જારી થયેલી 10 અને 500 રૂપિયાની તમામ નોટો કાયદેસર છે અને ચાલુ રહેશે. બજારમાં હાલ હાજર નોટો પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.
નવિન નોટોમાં શું ફેરફાર?
આ નવી નોટો ‘મહાત્મા ગાંધી (નવી) શ્રેણી’ની જ રહેશે અને ડિઝાઇનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય. માત્ર નવી નોટો પર નવા RBI ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર જોવા મળશે.
એક વ્યક્તિ બેંકમાં કેટલા ખાતા ખોલી શકે છે? RBI ના નિયમો જાણો
નોટો ક્યારે જારી થાય છે?
RBI કેટલીક વાર બજારમાં ચાલી રહેલી જૂની નોટોની સ્થાને નવી નોટો બહાર પાડે છે, ખાસ કરીને જ્યારે નોટોની અવસ્થા ખરાબ થઈ ગઈ હોય અથવા નવી ડિઝાઇન રજૂ કરવાની જરૂર પડે. આ એક સામાન્ય પ્રક્રિયા છે, જેને ચલણી વ્યવસ્થાનો ભાગ માનવામાં આવે છે.
100 અને 200 રૂપિયાની નવી નોટો પણ આવશે
ગયા મહિને એવા સમાચાર હતા કે RBI ટૂંક સમયમાં 100 અને 200 રૂપિયાની નવી નોટો પણ બહાર પાડશે. તેમ છતાં RBIએ ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે જૂની નોટો યથાવત રહેશે અને ફક્ત નવા ગવર્નરના હસ્તાક્ષર સાથે નવી નોટો જારી કરાશે.