અનુસૂચિત જાતિ માટે રૂ. 10,000/- સુધીની સહાય આપવામાં આવશે

Maharaja Sayajirao Scheduled Caste Rs. 10,000 sahay

મહારાજા સયાજીરાવ ગાયકવાડ અનુસૂચિત જાતિ માટે રૂ. 10,000/- સુધીની સહાય આપવામાં આવશે ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ, ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. ૪/૨, ગાંધીનગર, દ્વારા “મહારાજા સયાજીરાવ ગાયકવાડ અનુસૂચિત જાતિ સાહિત્ય પ્રકાશન સહાય યોજના” માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના સર્જકો, સંશોધકો અને સાહિત્યકારોને લેખન અને સાહિત્યના પ્રકાશન માટે સહાય આપવામાં આવશે. Maharaja Sayajirao Gaekwad Scheduled Caste Rs. 10,000 sahay

સહાયની રકમ:

આ યોજનામાં મૌલિક લખાણો અને સાહિત્યના પ્રકાશન માટે રૂ. 10,000/- (દસ હજાર રૂપિયા) સુધીની સહાય આપવામાં આવશે. આ સહાય માત્ર અનુસૂચિત જાતિઓની વિવિધ સમસ્યાઓ સંબંધિત મૌલિક લખાણો માટે ઉપલબ્ધ રહેશે. અનુવાદ માટે આ યોજનામાં સહાય મળતી નથી.

અરજી કરવાની તારીખ

આ યોજના માટે અરજીઓ 09 ડિસેમ્બર 2024 થી 31 ડિસેમ્બર 2024 વચ્ચે માન્ય રહેશે. અરજીની અંતિમ તારીખ પછી મળેલી અરજીઓ રદ ગણવામાં આવશે.

Maharaja Sayajirao Scheduled Caste Rs. 10,000 sahay

અરજી પત્રક મેળવવા અને સુચનાઓ:

અરજી પત્રકને અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયત નમૂનાના પત્રક પર ભરવું પડશે. આ પત્રક તમે તમારા જિલ્લાના નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી અથવા આ કચેરીની વેબસાઈટ (http://sje.gujarat.gov.in/dscw) પરથી ડાઉનલોડ કરી મેળવી શકો છો.

અરજી સાથે જોડવાની દસ્તાવેજો:

  1. અનુસૂચિત જાતિ પ્રમાણપત્રની નકલ
  2. અરજીનામામાં દર્શાવેલી નકલો
  3. અરજી પત્રક નીચે આપેલા સરનામે મોકલવું રહેશે:
  4. નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ,
  5. બ્લોક નં. ૪/૨, ડૉ. જીવરાજ મહેતા ભવન,
  6. ગાંધીનગર, ગુજરાત રાજ્ય.

સંપર્ક માહિતી:

ફોન: 079-23251655

અધિકારીઓ: નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
ગુજરાત રાજ્ય, ગાંધીનગર
માહિતી નંબર: 1720/2024-25

Join WhatsApp

Join Now

Leave a Comment