Ahmedabad News :અમદાવાદમાં પ્રોપર્ટી મિલકત હકને લઈને ગુજરાત સરકારનું મહત્વનું અને મોટો નિર્ણય સામે આવ્યો છે અમદાવાદની ચાર રબારી વસાહતોને કાયમી માલિકી હક આપવા માટેનું નવો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત સરકારે અમદાવાદના કેટલાક નાગરિકોના હિત માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર સરકારે અમદાવાદની ચાર રબારી વસાહતો કાયમી માલિકી હક આપવાનો નિર્ણય લીધો છે જેથી રબારી વસાહતો ધરાવતા નાગરિકોને મોટો ફાયદો થશે
મળતી વિગતો અનુસાર રબારી વસાહતોના પ્લોટ બજારમાં ભાવે અપાશે રાજ્ય સરકારે કોર્પોરેશન સાથે મળીને જમીન વેચાણથી આપશે આ સાથે જ મંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા ઠરાવ કરી રાજ્ય સરકારે મોકલાવવામાં આવ્યો છે આ સાથે જ જંત્રીના 50% હતો કોર્પોરેશનનો ઠરાવ હવે સરકારે માલધારી સમાજ માટે જંત્રીના 15% ના દરેક પ્લોટ આપવાનું નક્કી કર્યું છે પરિપત્ર ની તારીખ ફાળવણીના હુકમથી છ માસમાં લેવામાં આવશે રહેશે
સરકારના નિર્ણયથી ડેપ્યુટી મેયર રમેશ દેસાઈ પણ મહત્વની વિગતો સામે આપી હતી તેમને જણાવ્યું હતું કે ગુજરાત સરકારના નિર્ણયનો આભાર માનું છું વર્ષથી માલધારી સમાજની માંગણી હતી 60 વર્ષથી અમારી માંગ હતી કે માલિકી હક આપવામાં આવે સરકારે બહાલી આપી તેને લઈ આભાર માનું છું હવે રબારી સમાજ અને માલધારી સમાજને આ નિર્ણયથી મોટો ફાયદો થાય તેવું માનવામાં આવી રહ્યું છે અથવા તે જ રખડતા ઢોરોનો 99% પ્રશ્ન હલ થઈ જશે