મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસીઓને આપી વિશાળ ભેટ: ડાંગમાં 102.87 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

Bhupendra Patel gave a huge gift to the Dang tribe

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આદિવાસીઓને મોટી ભેટ, ડાંગમાં કરોડો રૂપિયાના 37 વિકાસ કામોનું લોકાર્પણ. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીએ ઉજવાતા જનજાતિય ગૌરવ દિવસના અવસરે આદિવાસી કલ્યાણના વિવિધ અભિયાનો અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશના 100 જિલ્લાઓના લાભાર્થીઓ સાથે બિહાર ખાતેથી સ્નેહપૂર્ણ સંવાદ સાંધ્યો હતો. Bhupendra Patel gave a huge gift to the Dang tribe

ડાંગ જિલ્લામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.102.87 કરોડના કુલ 37 વિકાસ કામોના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત સાથે આદિજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યભરના 568 લાભાર્થીઓને રૂ. 234 લાખની યોજનાઓનો લાભ આપવામાં આવ્યો.

મુખ્યમંત્રીએ વિશેષમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસરે તેમના આદરમાં યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે બિરસા મુંડાના જીવન અને ત્યાગના સંદેશાને ફરી યાદ કરાવતાં, આદિવાસી સમુદાય માટેના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી.

વનબંધુ કલ્યાણ યોજના

મુખ્યમંત્રીએ યાદ કરાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2007માં શરૂ કરેલી વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિવાસી વિસ્તારોમાં માર્ગ, ગૃહ, શિક્ષણ, આરોગ્ય અને પાણી જેવી આત્યાવશ્યક સેવાઓ પૂરી પાડી છે. આ યોજના દ્વારા આદિવાસી સમુદાયના શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારાઓ જોવા મળ્યા છે.

આ વર્ષે સરકાર દ્વારા શરૂ કરાયેલ વનબંધુ કલ્યાણ યોજના 2.0 હેઠળ કુલ રૂ. 22 હજાર કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આદિવાસી વિસ્તારોના વિકાસ માટે સરકારની મજબૂત પ્રતિબદ્ધતાની નોંધ લીધી અને જણાવ્યું કે આ કાર્ય નાણાંની અછતના કારણે ક્યારેય અટકશે નહીં.

Join WhatsApp

Join Now

Leave a Comment