Site icon Gujarat SQUARE

ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ભારતીય તેલ ઉત્પાદકોને થશે જબરદસ્ત ફાયદો

cooking oil msp

કેન્દ્ર સરકારે ખાદ્યતેલ અને અન્ય કૃષિ ઉત્પાદન પર કસ્ટમ ડ્યુટીમાં વધારાના પગલાં લીધા છે, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાનો છે, પરંતુ આ નિર્ણય સામાન્ય લોકો માટે મોંઘવારીને વધારવાનો બની શકે છે.

ખાસ કરીને, સનફ્લાવર, પામ, અને સોયાબીન તેલ પર કસ્ટમ ડ્યુટીમાં વધારો કરાયો છે. ક્રૂડ ઓઇલ પર ડ્યુટી 0% થી વધારીને 20% કરવામાં આવી છે, જ્યારે રિફાઇન્ડ ખાદ્યતેલ પર 12.5% થી વધારીને 32.5% કરી દેવામાં આવી છે. ડ્યુટીમાં આ વધારાથી આયાત થતી તેલની કિંમત વધશે, જેના પરિણામે બજારમાં તેલના ભાવ વધી શકે છે.

ખેડૂતોને આ નિર્ણયથી ફાયદો થશે, કારણ કે વધારેલી ડ્યુટી સ્થાનિક ઉત્પાદકોને વધુ પ્રતિસ્પર્ધી બનાવશે, જેનાથી તેમના ઉત્પાદન માટે વધુ નિકાસની સંભાવના વધશે.

સરકારે ડુંગળી અને બાસમતી ચોખાની લઘુત્તમ નિકાસ કિંમત (Minimum Export Price – MEP) હટાવવાનો નિર્ણય પણ કર્યો છે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થવાની અપેક્ષા છે.

Exit mobile version