Surendranagar : કલાકો બાદ માંડ-માંડ સુરેન્દ્રનગરની પેપરમીલમાં લાગેલી આગને કાબુમાં લેવાય

Fire In Surendranagar: સુરેન્દ્રનગરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં પેપરમીલમાં શનિવારે બપોરના સમયે આગ લાગી હતી જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી પરંતુ  આગ કાબુમાં આવે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી હતી પરંતુ પેપર મીલમાં રહેલા પેપરના રોલ પૂઠા સહિતનો જથ્થો હોવાથી આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સતત હાઇબ્રિગેટના જવાનોને ટીમની મદદથી આગને કાબુ લેવામાં આવી છે વધુમાં વિગતવાર જણાવી દઈએ તો સુરેન્દ્રનગર  ધાંગધ્રા થાન વિરમગામ ફાયર બ્રિગેડની ટીમ મદદ થી આવી હતી અને બપોરે લાગેલી આગ હવે લાંબા સમય બાદ કાબુમાં લેવામાં આવી છે જોકે 50000 લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ત્યારબાદ  આગ કાબુમાં આવી હતી

આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો સુરેન્દ્રનગરના ધાંગધ્રા રોડ પર નવલગઢ ગામ નજીક આવેલી પેટર્ન પેપર મીલમાં બપોરના સમયે આગ લાગી હતી કોઈ કારણોસર આગ લાગતા લોકોમાં દોડધામ  જોવા મળી હતી  ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તંત્રના અધિકારીઓ સહિત ફાયર ફાઈટર ની ટીમ પણ દોડી આવી હતી ત્યારબાદ પેપરમીલમાં મોટા પાસે પેપર અને રોલ પૂઠા સહિતનું સામગ્રી હોવાથી આગ વધુ મિનિટોમાં ફેલાઈ ગઈ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડના મેનેજર અને તેમજ અન્ય અધિકારીઓએ હાલ થોડીવારમાં આગને કાબૂમાં લેવામાં આવી છે  પ્રાથમિક માહિતી જે સામે આવી છે તે મુજબ કોઈ કારણસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પણ અનુમાન માનવામાં આવી રહ્યું છે

Join WhatsApp

Join Now

Leave a Comment