RRB ગ્રુપ D આન્સર કી 2026 જાહેર, વાંધા ઉઠાવવાની તક મળશે – અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા

RRB Group D Answer Key 2026

લાખો ઉમેદવારો માટે મોટી ખબર સામે આવી રહી છે. Railway Recruitment Board ટૂંક સમયમાં RRB ગ્રુપ D પરીક્ષા 2026ની આન્સર કી જાહેર કરવા જઈ રહ્યું છે. પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ હવે પોતાના જવાબો ચકાસી શકશે અને જો કોઈ પ્રશ્ન અંગે શંકા હોય તો સત્તાવાર રીતે વાંધો નોંધાવી શકશે. RRB Group D Answer Key 2026

આ પરીક્ષા 27 નવેમ્બર, 2025 થી 10 ફેબ્રુઆરી, 2026 દરમિયાન દેશભરના વિવિધ કેન્દ્રોમાં યોજાઈ હતી. લાંબા સમયથી તૈયારી કરનાર ઉમેદવારો માટે હવે સૌથી મહત્વનો તબક્કો શરૂ થવાનો છે, જ્યાં તેઓ અંદાજ લગાવી શકશે કે તેમનો સ્કોર કેટલો આવી શકે છે.

આન્સર કી ક્યાંથી અને કેવી રીતે મળશે?

આન્સર કી ઉમેદવારોએ પોતાના પ્રાદેશિક RRBની સત્તાવાર વેબસાઇટ પરથી જ ડાઉનલોડ કરવી રહેશે. જેમ કે RRB કોલકાતા, RRB અલ્હાબાદ, RRB મુંબઈ અથવા RRB ચેન્નાઈ – દરેક બોર્ડ પોતાની વેબસાઇટ પર જ સંબંધિત આન્સર કી મૂકાશે.

ઉમેદવારોને ખાસ ધ્યાન રાખવું પડશે કે તેઓ પોતાના અરજી ક્ષેત્ર મુજબની જ વેબસાઇટ ખોલે. અન્ય ઝોનની સાઇટ પરથી માહિતી લેવા જશો તો ગેરસમજ ઊભી થઈ શકે છે.

આન્સર કી ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

સૌપ્રથમ સંબંધિત RRBની સત્તાવાર વેબસાઇટ ખોલવી. હોમપેજ પર “Group D Answer Key 2026” જેવી લિંક દેખાશે. તે લિંક પર ક્લિક કરતા જ PDF ફાઇલ ખુલશે.

તેને તરત જ ડાઉનલોડ કરીને સાચવી રાખવી જરૂરી છે. ભવિષ્યમાં સંદર્ભ માટે પ્રિન્ટ કાઢવી પણ સમજદારીભર્યું રહેશે. ઘણી વખત ઉમેદવારો ઉતાવળમાં આન્સર કી યોગ્ય રીતે સેવ કરતા નથી, જેના કારણે પછી મુશ્કેલી પડે છે.

RRB Group D Answer Key 2026 કેવી રીતે નોંધાવવો?

આન્સર કી જાહેર થતાની સાથે જ બોર્ડ વાંધા નોંધાવવાની વિંડો પણ ખોલશે. જો કોઈ ઉમેદવાર માને છે કે કોઈ પ્રશ્નનો જવાબ ખોટો છે અથવા પ્રશ્ન જ ભૂલભર્યો છે, તો તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન વાંધો નોંધાવી શકે છે.

વાંધો નોંધાવવા માટે ઉમેદવારે લોગિન કરવું પડશે. અરજી નંબર અને જન્મ તારીખ જેવી વિગતો દાખલ કરવી પડશે. ત્યારબાદ સંબંધિત પ્રશ્ન પસંદ કરીને તેના સમર્થનમાં દસ્તાવેજ અથવા પુરાવા અપલોડ કરવા પડશે. નિર્ધારિત ફી ચૂકવીને જ વાંધો સબમિટ થઈ શકે છે.

સમયમર્યાદા પૂરી થયા પછી કોઈ પણ દાવો સ્વીકારવામાં આવતો નથી. તેથી ઉમેદવારોએ સમય પર કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે.

વાંધો દાખલ કરતી વખતે શું ધ્યાન રાખવું?

નિષ્ણાતો સલાહ આપે છે કે ઉમેદવારોએ ફક્ત મજબૂત આધાર હોય ત્યારે જ વાંધો નોંધાવવો. ભાવનાત્મક અથવા અંદાજ આધારિત વાંધા સામાન્ય રીતે નકારી દેવામાં આવે છે અને ફી પરત મળતી નથી.

બોર્ડની વિષય નિષ્ણાતોની ટીમ તમામ વાંધાઓની સમીક્ષા કરે છે. જો કોઈ પ્રશ્ન ખરેખર ખોટો સાબિત થાય, તો તેને સુધારવામાં આવે છે અથવા રદ કરવામાં આવે છે. ત્યારબાદ અંતિમ આન્સર કી જાહેર થાય છે.

પરિણામ ક્યારે આવશે?

RRB ગ્રુપ D 2026નું પરિણામ અંતિમ આન્સર કી જાહેર થયા પછી જ બહાર પાડવામાં આવશે. પરિણામ જાહેર થતાં જ ઉમેદવારો પોતાનો સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે.

Join WhatsApp

Join Now

Leave a Comment