ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામ સોમનાથ ખાતે 21મીથી 23મી નવેમ્બર દરમિયાન ત્રણ દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા કલેક્ટર, અને જિલ્લા વિકાસ અધિકારીઓ ભાગ લેશે. Gujarat 11th Chintan Shivir In Somnath
ચિંતન શિબિરના હેતુ
2003માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વહીવટીતંત્રમાં નવી દિશા આપવા માટે ચિંતન શિબિરો શરૂ કરી હતી. આ પરંપરાને આગળ વધારતા, આ શિબિર રાજ્યના વિકાસ માટે નીતિઓ ઘડવા અને વિવિધ મુદ્દાઓ પર વિચારમંથન કરવાનો પ્લેટફોર્મ પૂરું પાડે છે.
મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા
રોજગાર તકોનો વિસ્તરણ ,ગ્રામ્ય આવક વૃદ્ધિ ,યોજનાઓમાં સંતૃપ્તિ: ,જિલ્લાઓ અને સ્થાનિક સ્વ-સરકારી સંસ્થાઓ દ્વારા પ્રવાસન વિકાસમાં યોગદાન.
સેવાઓ સુધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડીપ ટેકનોલોજી, અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ.













