સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન માટે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે

magfali bhav today

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે વર્ષ ૨૦૨૪ના ખરીફ સિઝન અંતર્ગત મગફળી, મગ, અડદ અને સોયાબીન માટે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને તેઓ બજારમાં ઓછા ભાવે પાક વેચવા મજબૂર ન થાય.

આ પ્રાઈઝ સપોર્ટ સ્કીમ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવ નીચે પ્રમાણે છે:

  • મગફળી: ₹૧૩૫૬.૬૦ પ્રતિ મણ
  • મગ: ₹૧૭૩૬.૪૦ પ્રતિ મણ
  • અડદ: ₹૧૪૮૦ પ્રતિ મણ
  • સોયાબીન: ₹૯૭૮.૪૦ પ્રતિ મણ

ખરીદીની સમયમર્યાદા તા. ૧૧ નવેમ્બર ૨૦૨૪ થી ૮ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી (૯૦ દિવસ) રાખવામાં આવી છે.

કુલ ૧૬૦ ખરીદી કેન્દ્રો દ્વારા રાજ્યમાં ૧૧,૨૭,૦૦૦ મેટ્રિક ટન મગફળી અને ૯૨,૦૦૦ મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવામાં આવશે. જેની કુલ મૂલ્યે અનુક્રમે ₹૭૬૪૫ કરોડ અને ₹૪૫૧ કરોડ થશે.

ખેડૂતો માટે આ ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવવા માટે નિયમનુસાર ખેતપેદાશની ગુણવત્તા સાથે ખરીદી કેન્દ્ર પર હાજર રહેવું જરૂરી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment