બિહારમાં એક અનોખો પ્રસ્તાવ ચર્ચાનો વિષય બન્યો છે. બિહાર રાજ્ય ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડે પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત મંદિર બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. બોર્ડના સભ્ય રંજન સિંહે જણાવ્યું કે ટ્રાન્સજેન્ડર સમુદાયને સન્માન અને અધિકારો મળ્યા હોવાના કારણે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને તમામ સભ્યોએ સમર્થન આપ્યું. modi temple bihar
શું છે સમગ્ર મામલો?
બુધવારે યોજાયેલી બિહાર રાજ્ય ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની પ્રથમ બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ બેઠક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ (અધિકારોનું સંરક્ષણ) અધિનિયમ, 2019 અમલમાં આવ્યા બાદ પ્રથમ વખત યોજાઈ હતી.
બોર્ડના સભ્ય રંજન સિંહે જણાવ્યું કે ટ્રાન્સજેન્ડર સમુદાયનું પોતાનું કોઈ મંદિર નથી. તેમના કહેવા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમુદાયને સન્માન અને અધિકારો આપ્યા હોવાથી તેમના નામે મંદિર બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો.
મંદિર ક્યાં બનાવાશે? નરેન્દ્ર મોદી મંદિર ક્યાં આવેલું છે ?
મળતી માહિતી મુજબ આ મંદિર પટનામાં બનાવવાનો પ્રસ્તાવ છે. રાજ્ય સરકાર દ્વારા યોગ્ય જમીન ફાળવ્યા બાદ મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવશે.
હાલમાં જમીન ફાળવણી કે નિર્માણ શરૂ થવાની તારીખ જાહેર કરવામાં આવી નથી.
સરકાર ખર્ચ ઉઠાવશે હોવાનો દાવો
બોર્ડના સભ્ય રંજન સિંહના જણાવ્યા મુજબ મંદિરના નિર્માણનો સંપૂર્ણ ખર્ચ બિહાર સરકાર ઉઠાવશે. જોકે સરકાર તરફથી આ મુદ્દે અલગથી કોઈ સત્તાવાર જાહેરાત જાહેર થઈ છે કે નહીં તે અંગે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.
બિહાર રાજ્ય ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડ શું છે?
બિહાર રાજ્ય ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડ (કિન્નર કલ્યાણ બોર્ડ) સમાજ કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત 28 સભ્યોનું રાજ્યસ્તરીય બોર્ડ છે.
આ બોર્ડની સ્થાપના ઓગસ્ટ 2025માં ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારોની સુરક્ષા, સામાજિક વિકાસ અને સશક્તિકરણના હેતુથી કરવામાં આવી હતી.









