વિધાર્થીઓ માટે ગુજરાત સરકારનો સારો નિર્યણ રાજ્યના 21 જિલ્લામાં પુસ્તકાલયો શરૂ કરશે 

વિધાર્થીઓ  માટે ગુજરાત સરકારનો સારો નિર્યણ રાજ્યના 21 જિલ્લામાં પુસ્તકાલયો શરૂ કરશે વિદ્યાર્થીના હિતમાં સારો નિર્ણય લે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓને મફતમાં ભણવા માટે સારી લાઇબ્રેરી પુસ્તકાલયની સુવિધા મળી રહે તે માટે 21 જિલ્લાઓમાં 50 તાલુકામાં સરકારી પુસ્તકાલય ચાલુ કરવામાં આવશે Gujarat government to start libraries in 21 districts

જે તે સમયમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને અત્યારે વડાપ્રધાન છે તે ગુજરાતના નાગરિકો માટે એક સારું અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું જેનું નામ છે વાંચે ગુજરાત ચેનલ દ્વારા તમામ પુસ્તકાલય ધર્મગ્રંથોથી સમૃદ્ધ બનાવવામાં આયોજન કર્યું હતું એ દિશામાં આગળ વધી રહે તે માટે ભુપેન્દ્ર પટેલ દ્વારા 21 જિલ્લાઓમાં સરકારી પુસ્તકલયો લાવ્યો શરૂ કરવામાં આવશે

Gujarat government to start libraries in 21 districts

6 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પુસ્તક દિન નિમિત્તે લોકોને વાંચવાનો અનેરો રસ હોય છે તે માટે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં રહેતા આદિવાસી સમાજના લોકોને વાંચવા પ્રત્યે જાગૃતિ મળે અને તે વધુ વાંચવા માટે પ્રેરિત થાય તે દ્વારા ગુજરાત સરકાર દ્વારા આદિવાસી તાલુકામાં પુસ્તકાલય શરૂ કરવામાં આયોજન કરવામાં આવ્યું છે આદિવાસી સાત જિલ્લાઓમાં અને 14 તાલુકામાં પુસ્તકાલય ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે જેના દ્વારા આદિવાસી તમામ સમુદાયના લોકોને 100% લાભ મળી રહે વાંચવા માટે

આ પણ વાંચી શકો 

ગુજરાત સરકારે 2023-24 વર્ષથી રાજ્ય-સહાયિત લાયબ્રેરીઓ માટે લોકફાળામાંથી મુક્તિ આપીને 100% અનુદાનમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેના દ્વારા હવે આ લાયબ્રેરીઓને 100% ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. અગાઉના 25% જાહેર યોગદાનમાંથી પણ આ લાયબ્રેરીઓને મુક્તિ આપવામાં આવી છે.

આ ઉપરાંત, લાયબ્રેરીઓના પ્રકારને આધારે અનુદાનના દરોમાં વધારો કરવામાં આવ્યો છે, જે વિશેષ પુસ્તકાલયો, શહેર પુસ્તકાલયો, મહિલા અને બાળ પુસ્તકાલયો, અને ગ્રામ્ય પુસ્તકાલયો જેવા વિવિધ પ્રકારની લાયબ્રેરીઓને લાભ આપશે.

ગુજરાત સરકારે “શ્રી મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા પુરસ્કાર” અને “ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર” માટે ઇનામની રકમમાં પણ વધારો કર્યો છે. આ યોજનામાં  નિષ્ણાત લાયબ્રેરીઓ અને વિશેષ લાયબ્રેરીઓની શ્રેણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે રાજ્ય-સહાયિત લાયબ્રેરીઓ વચ્ચે સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરશે. (ANI)

Leave a Comment