ટ્રાફિક બ્રિગેડ જવાનોનું વેતન રૂ.300 માંથી વધારીને હવે રૂ.450 કરવામાં આવ્યું છે

Gujarat traffic brigade rs 300 to rs 450

Gujarat Square News :રાજ્યના TRB જવાનો માટે એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ટ્રાફિક બ્રિગેડના જવાનોનું દૈનિક માનદ વેતન રૂપિયા 300 માંથી વધારીને હવે રૂપિયા 450 કરવામાં આવ્યું છે, જે આજથી અમલી બનશે. Gujarat traffic brigade rs 300 to rs 450

આ નિર્ણયથી રાજ્યભરના 10 હજારથી વધુ TRB જવાનો અને તેમના પરિવારોને સીધો આર્થિક લાભ મળશે. લાંબા સમયથી વેતન વધારાની માંગ કરી રહેલા TRB જવાનો માટે આ નિર્ણય રાહતરૂપ સાબિત થશે અને તેમની કામગીરી માટે નવી પ્રેરણા આપશે.

Join WhatsApp

Join Now

Leave a Comment