રામ રહીમ નિર્દોષ જાહેર ,24 વર્ષ જૂના પત્રકાર હત્યા કેસમાં , CBIને મોટો ફટકો

Gurmeet Ram Rahim Acquitted

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને બરી જાહેર કર્યો છે. Gurmeet Ram Rahim Acquitted

અદાલતે નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજા રદ કરી અને પુરતા પુરાવા ન હોવાના કારણે આ નિર્ણય આપ્યો છે.

આ નિર્ણય લગભગ સાત વર્ષ પછી આવ્યો છે, કારણ કે 2019માં ખાસ CBI અદાલતે આ કેસમાં ગુરમીત રામ રહીમને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી હતી.

હાઇકોર્ટનો નિર્ણય શું રહ્યો?

આ કેસમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની બેન્ચ, જેમાં મુખ્ય ન્યાયાધીશ શીલ નાગૂ અને ન્યાયમૂર્તિ વિક્રમ અગ્રવાલ સામેલ હતા, તેમણે 2019ના નિર્ણય સામે કરવામાં આવેલી અપીલોની સુનાવણી કરી હતી.

અદાલતે કેસ સાથે જોડાયેલા પુરાવા અને દલીલોની વિગતવાર સમીક્ષા કર્યા બાદ જણાવ્યું કે ગુરમીત રામ રહીમ સામે આરોપ પૂરતા પ્રમાણમાં સાબિત થતા નથી. તેથી શંકાનો લાભ આપીને તેમને આ કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

છતાં ગુરમીત રામ રહીમ જેલમાં જ કેમ રહેશે?

આ કેસમાં રાહત મળ્યા છતાં ગુરમીત રામ રહીમને તરત મુક્તિ મળશે નહીં. હાલમાં તે રોહતકની સુનારીયા જેલમાં સજા ભોગવી રહ્યો છે, કારણ કે બે સાધ્વીઓ સાથે દુષ્કર્મના કેસમાં તેને 20 વર્ષની સજા મળી છે.

આથી પત્રકાર હત્યા કેસમાં બરી થયા છતાં અન્ય ગંભીર કેસોની સજા કારણે તે હાલ જેલમાં જ રહેશે.

અન્ય આરોપીઓ વિશે શું નિર્ણય આવ્યો?

  • આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓ — કુલદીપ, નિર્મલ સિંહ અને કિશન લાલ — વિશે હાઇકોર્ટે અલગ નિર્ણય લીધો છે.
  • હાઇકોર્ટે આ ત્રણેયની આજીવન કેદની સજા યથાવત રાખી છે. એટલે કે તેઓ સામેની સજા ચાલુ રહેશે.

શું હતો સમગ્ર મામલો?

આ ઘટના ઓક્ટોબર 2002ની છે. તે સમયે સિરસા શહેરમાં પત્રકાર રામચંદ્ર છત્રપતિ પોતાના સ્થાનિક અખબાર “પૂરા સચ” ચલાવતા હતા.

એક દિવસ તેમના ઘરની બહાર અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હુમલો કર્યો, જેમાં બાદમાં તેમની મૃત્યુ થઈ ગઈ. આ ઘટના પછી દેશભરમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી.

હકીકતમાં છત્રપતિએ પોતાના અખબારમાં ડેરા સચ્ચા સૌદા અને તેના પ્રમુખ સામે આવેલા ગંભીર આરોપો અંગે સમાચાર પ્રકાશિત કર્યા હતા.

આ રિપોર્ટમાં એક ગુમનામ પત્રનો પણ ઉલ્લેખ હતો, જેમાં ડેરામાં સાધ્વીઓના યૌન શોષણના ગંભીર આરોપો કરવામાં આવ્યા હતા. આ સમાચાર બહાર આવ્યા પછી કેસની તપાસનો વ્યાપ વધી ગયો હતો.

પછી આ મહત્વપૂર્ણ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment